પુસ્તક પ્રદર્શન

શ્રી ચારિત્ર – લક્ષ્મી લાઈબ્રેરી દ્વારા પુસ્તક પ્રદર્શન

 

બાળકોનાં સર્વાંગી ઘડતર માટે સોનગઢ રત્નાશ્રમ હંમેશા પ્રયત્નશીલ છે. બાળક સ્વયંના વિચારોની પાંખો ફેલાવશે તો જ તેની સફળતાના દ્વાર ખુલશે અને આ પ્રકારના વિચારોનું જ્યાં વાવેતર થાય છે,એવી પરબ સમાન સોનગઢ રત્નાશ્રમની ચારિત્ર લક્ષ્મી લાયબ્રેરી. બાળકો અને એમનું ઘડતર કરનાર શિક્ષક મિત્રો માટે લાયબ્રેરીમાં પુસ્તક પ્રદર્શનનું તા. 20.06.2022 ના રોજ આયોજન કરવામાં આવેલ.

આ પ્રદર્શન દ્વારા બાળકો પુસ્તકાલયથી પરિચિત બને અને પુસ્તકને ખરો મિત્ર બનાવે તેમજ પોતાના જીવન ઘડતર માટે પુસ્તકને પોતાનાં જીવનમાં સ્થાન આપે. આ પ્રવૃત્તિ માટે ત્રણ-ત્રણ વર્ગનું એક ગ્રુપ બનાવી જે-તે શિક્ષક મિત્રો તેમની સાથે રહીં પુસ્તકોનો સારો એવો પરિચય આપેલ.

 

 

news headlines