JITO ભાવનગર સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તેમજ જૈન સમાજના IAS, IPS કક્ષાના અધિકારીઓની હાજરીમાં જૈન સમાજનાં બાળકો માટે ભવ્ય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં, સોનગઢ રત્નાશ્રમના ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ પણ જોડાયેલ. આ ઉપરાંત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ બેન્ડની એક ઝલક રજૂ કરવામાં આવેલ. આ માટે સંસ્થા દ્વારા બાળકો માટે વાહન વ્યવસ્થા તેમજ ભોજનની વ્યવસ્થા તેમજ સંસ્થાને અનુદાન આપવામાં આવેલ.