શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ – સોનગઢ રત્નાશ્રમ
પ્રાથમિક વિભાગ ( ૬ થી ૮ )
તારીખ ૨૧/૭/૨૦૧૮ નાં રોજ ધોરણ ૬ થી ૮ સુધીના બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.અને આ વક્તૃત્વ સ્પર્ધામાં રાખવા પાછળનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે બાળકોની અંદર જે આંતરિક શક્તિઓ રહેલી છે તે બહાર આવે અને બોલવાની કલા વિકસે. આ સ્પર્ધાનાં વિષય આજના સમય પ્રમાણે વર્તમાન સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યા હતા .જે નીચે મુજબ છે .
૧. માતૃપ્રેમ ૨. સેવ ફ્યુલ ૩. વિજ્ઞાનની સિદ્ધિઓ ૪. વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો આ ચાર વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . અને આ ચારેય વિષય પર અંગ્રેજી માધ્યમ (૧૪) અને ગુજરાતી માધ્યમના (૨૪) એમ કુલ બાળકો (૩૮ ) એ ભાગ લીધો હતો . અને આ સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે શ્રી ગગજીભાઈ ડાંગર અને શ્રી વિષ્ણુભાઈ ભટ્ટ અને શ્રી નરેશભાઈ આંસલ તરીકે નિમણુંક કરવામાં આવી હતી . જેઓએ બન્ને માધ્યમ માંથી કુલ ૩ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર આપ્યા હતા.અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આશીષભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યુ હતું .
સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ
-
અમ્બુરે અનુરાગ અમોલભાઈ - ૮ અંગ્રેજી – સેવ ફ્યુલ
-
જૈન આયુષ રાજેશભાઈ - ૮ અંગ્રેજી - સેવ ફ્યુલ
-
વંકાણી આર્યન પ્રફુલભાઈ - ૭ ગુજરાતી - વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો
કાર્યક્રમની એક ઝલક