જયારે બાળકના જીવનના ઘડતરની બાબત હોય કે શૈક્ષણિક કારકિર્દીની બાબત હોય સોનગઢ રત્નાશ્રમેં ક્યારેય પીછેહઠ નથી કર્યો. આજે સોનગઢ રત્નાશ્રમ હોસ્ટેલની સંખ્યા વધીને ૪૫૦ થી વધુ થઇ તેની સાથે જ શાળાની સંખ્યા પણ ૭૦૦ થી વધુને આંબી.જેથી શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કરવાની જરૂરિયાત પડી.તેમજ નવી શિક્ષણનીતિ ને ધ્યાનમાં રાખીને ,શાળા સંકુલમાં પ્રથમ માળમાં વર્ગખંડો, સ્કીલ સેન્ટર તેમજ ટીચર્સ એકેડમી જેવાં અદ્યતન રૂમોનું નિર્માણ કરવામાં આવ્યું.

