ગુજરાત રાજ્ય વન વિભાગ દર વર્ષ, તા. 10 ઓગસ્ટના દિવસની "વિશ્વસિંહ દિવસ" તરીકે ઉજવણી કરે છે. જેમાં ગુજરાત રાજ્યની તમામ શાળાઓ ઉજ્વણીમાં ભાગીદાર બને છે. સોનગઢ રત્નાશ્રમ દ્વારા પણ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં બાળકોને ગુજરાત સરકાર દ્વારા આપેલ CD દર્શાવેલ કે, જેમાં સિંહ વિશે માહિતી તેમજ ગીરના જંગલોમાં તેમના વસવાટ વિશે માહિતી મળેલ. ત્યારબાદ બાળકો દ્વારા સિંહના પરિવેશમાં "વિશ્વસિંહ દિવસ" ના બેનર સાથે વિશાળ રેલી કાઢેલ.