સોનગઢ રત્નાશ્રમ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન તા.૧૧/૭/૨૦ નાં રોજ રત્નાશ્રમના વિદ્યાર્થીઓને વોટ્સએપ દ્વારા જાણ કરી ઓનલાઈન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં બાળકો પોતાની આગવી કળા-સૂઝ વિસરી ન જાય એ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિષયો: ૧. ઓનલાઈન શિક્ષણ : લાભ કે હાની, ૨. આજના સમયમાં આપણા જીવનમાં ધર્મનું સ્થાન, ૩. જીવન ઘડતર અને જીવન સંસ્કાર. આ સ્પર્ધાનું આયોજન બે ગ્રુપમાં કરાયેલ હતું. જેમાં ધોરણ ૬ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ એમ વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ દ્વારા ઓનલાઈન કરાવેલ. આ સ્પર્ધામાં પહેલા રાઉન્ડમાં ૧૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જયારે આમાંથી બીજા રાઉન્ડમાં ૩૦ વિદ્યાર્થીઓની પસંદગી થઇ હતી. આ ૩૦ વિદ્યાર્થીઓને તા. ૨૭/૭/૨૦ નાં રોજ ફાઈનલ રાઉન્ડનું આયોજન ઓનલાઈન ઝુમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાંથી બંને ગ્રુપ માંથી ૩ – ૩ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરેલ હતા. આ દરેક વિદ્યાર્થીઓને પૂરતું પ્રોત્સાહન આપીને તેમની કળા ને નિખારવાનું કામ કર્યું. આ સ્પર્ધામાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણેય ભાષાને મહત્વ આપવામાં આવ્યું હતું જેથી કરીને બાળકોની ભાષાશૈલી વિકસે એ પણ ધ્યાનમાં રાખી વક્તૃત્વ સ્પર્ધા સફળ બની હતી.
સ્પર્ધાના વિજેતાઓ :
ગ્રુપ ૧ (ધોરણ ૬ થી ૮)
|
ગ્રુપ ૨ (ધોરણ ૯ થી ૧૨)
|
૧. જૈન વિશુદ્ધ વિકાસ (૬ અંગ્રેજી)
૨. પટેલ નીલ રાજેશભાઈ (૬ ગુજરાતી)
૩. ગડા મિત જીતેન્દ્ર (૬ અંગ્રેજી)
|
૧. જૈન આયુષ રાજેશ (૧૦ અંગ્રેજી)
૨. ગડા કવિશ કિરણ (૧૦ અંગ્રેજી)
૩.નિસર વિનીત તેજસભાઈ (૯ અંગ્રેજી)
|
ઇવેન્ટ પ્લાનીંગ કમિટી:
અવિનાશ દવે, વિનોદ રાભડીયા, રાજેશભાઈ ચૌધરી, વનરાજ રાઠોડ