21 ફેબ્રુઆરી “માતૃભાષાદિન”
માતૃભાષા ગૌરવદિન એટલે ૨૧ ફેબ્રુઆરી-માતૃભાષા પ્રત્યે આદર-સન્માન અને નિજ ભાષાને પૂર્ણ પણે હૃદય-મનથી સત્કારવાનો દિવસ.
આજના બાળકો વૈશ્વિક ભાષાના પ્રચાર અને પ્રસારથી જયારે સંપૂર્ણ પણે ઘેરાયેલ છે.ત્યારે તેમની કોઈ વાતચીતમાં કે તેના ગુજરાતી વિષયના લેખનમાં કેટલેક અંશે નિરાશા જ દેખાય આવે છે.કાળજીપૂર્વકનું, સમજપૂર્વકનું ને લેખન શુદ્ધિકરણનો તો જાણે અભાવ જ જોવા મળે છે.બાળકોની લેખન શુદ્ધિ થાય, જોડણીની ભૂલો વગરનું લેખન કરતો થાય તેની જગૃતિ અને સમજ કેળવાય તે હેતુસર ૨૦ દિવસ ‘વાચન-લેખન અભિયાન’ ધોરણ: 6 થી 9 (બન્ને માધ્યમ)માં ચલાવવામાં આવ્યું.જેમાં નીચેના જેવી બાબતોની સમજ બાળકોને આપેલ:
-
પ્રથમ બાળકોને કક્કો-બારાક્ષરીની સમજ આપેલ ત્યાર બાદ તેની ઉચ્ચારણ શુદ્ધિ કરાવેલ.
-
જોડાક્ષર વાળા વિશિષ્ટ વર્ણનો પરિચય આપેલ.
-
જોડાક્ષર વાળા શબ્દોનો પરિચય તથા તેનું ઉચ્ચરણ કરાવેલ.
-
રેફ્વાળા શબ્દોનો પરિચય તથા તેનું ઉચ્ચારણ કરાવેલ.
-
જાતિ, લિંગ, વાચન પ્રમાણે ક્રિયાપદની રચનાનો પરિચય કરાવેલ.
-
વિશેષણ-ક્રિયાવિશેષણનો પરિચય આપેલ.
-
શ્રુતલેખન કરાવેલ તથા તેનું સ્વમૂલ્યાંકન કરાવેલ.
-
અનુસ્વારની સમજ આપેલ.
-
વિરામચિહ્નોનો પરિચય કરાવેલ.