૭૪મો સ્વાતંત્ર્ય દિન

૭૪મો સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢ રત્નાશ્રમ દ્રારા ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સ્ટાફ સમયસર હાજર રહી શાળાના મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમની રાષ્ટ્રગાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રોહિત ભાઈ ભટ્ટના હસ્તે ધ્વજ ફરકવામાં આવ્યો હતો અને દરેક શિક્ષક મિત્રો દ્રારા રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ભારત માતાની મૂર્તિને પુષ્પવંદન કરવામાં આવ્યું હતું. દરેક સ્ટાફ મિત્રો ઓડીટોરિયમ હોલમાં સંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા અને કાર્યક્રમની રોનક વધારી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમ :-

1    પ્રાર્થના-    મ્યુઝિક એકેડેમી દ્રારા

૨ દેશભક્તિ ગીત- ‘જહાં ડાલ ડાલ પર સોનેકી ચિડિયા’-શિક્ષક શ્રી તુષારભાઈ દાણીધરિયા,વિનોદભાઈ રાભડિયા

3 સ્વતંત્રતા મેળવવા માટે કેટલા દેશભક્તોએ તેમનું જીવન કુરબાન કર્યું? કેટલા શહીદોએ હસતે મોં ફાંસીના માંચડે ચડ્યાં ? સ્વતંત્રતા કેવી રીતે મળી ? આઝાદી મળ્યા પછી આપણે શું કર્યું ? આપણે કઈ જગ્યાએ પાછળ છીએ ? વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે સોનગઢ રત્નાશ્રમના ગુરુજનોએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

  વક્તવ્ય આપનારા  શિક્ષક શ્રી :  ભરતભાઈ ચૌહાણ , વિષ્ણુભાઈ ભટ્ટ , હાર્દિક જોશી , હિરેનભાઈ ભટ્ટ , તુષારભાઈ જાની , પ્રવીણભાઈ સોલંકી , રોહિતભાઈ સંઘવી , રોહિતભાઈ ભટ્ટ.

 

શ્રી દિનેશભાઈ કાનાણી દ્વારા ‘સમગ્ર સ્કૂલ ડેવેલોપમેન્ટ પ્લાન’ પર પોતાના વિચારો રજુ કર્યા. આવી રીતે ૭૪માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરીને દેશપ્રેમ જાગૃત કર્યો હતો. 

news headlines