ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ “શિક્ષકદિન” ની ઉજવણી શ્રી મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમના બાળકો દ્વારા કરવામાં આવી હતી. તમામ સ્ટાફ મિત્રોએ ભાગ લેનાર બાળકોને વિષયવસ્તુની માહિતી આપીને સુસજ્જ કરવામાં આવ્યા હતા. શિક્ષક બનનાર વિદ્યાર્થીઓએ ઝૂમ ક્લાસ દ્વારા શિક્ષણ કાર્ય કર્યું હતું. દરેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને એક દિવસ માટે શિક્ષક બની શિક્ષણ જગતમાં પોતાનો ફાળો નોંધાવ્યો. શિક્ષક બનવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને આનંદની અનુભૂતિ કરી હતી. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ ૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આમ શાળાના શિક્ષકો અને બાળકોના સંયોગથી કાર્યક્રમ સફળ થયો હતો.