નેશનલ સાયન્સ સેમીનાર ૨૦૧૯
પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન થયેલ જેમાં આપની સંસ્થાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમનો વિષય હતો – “આવર્ત કોષ્ટકનાં રસાયણિક તત્વોની માનવ કલ્યાણ પર અસર”
જિલ્લા કક્ષાનું આયોજન તા.૪/૯/૨૦૧૯ નાં રોજ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં નીચેના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ.
૧) હરિયાણી હર્ષિત કીશોરદાસ – 8 Guj Med
૨) મહેતા સમ્યક જીગ્નેશભાઈ – 9 Guj Med
૩) નિસર વિનીત તેજસભાઈ – 8 Eng Med
૪) રાંભીયા મોક્ષ રાહુલભાઈ – 10 Eng Med
જેમાંથી રાંભીયા મોક્ષ રાહુલભાઈ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ. ત્યારબાદ તા. ૨૩/૧૦/૨૦૧૯ નાં રોજ સાયન્સ સીટી અમદાવાદ મુકામે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.